ફિલમ તારા ખોળે – ધનક: સિનેમાનું સાહિત્યમાં રૂપાયન



સિનેમાની શરૂઆતથી જ ફિલ્મકારોએ સાહિત્ય ઉપરથી ફિલ્મ બનાવવાનો આરંભ કર્યો હતો. ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” હોય કે ગુજરાતી સિનેમાની પહેલી ફિલ્મ “નરસિંહ મહેતા” હોય, આ બંનેનો આધાર સાહિત્ય જ રહ્યો છે. આપણે ત્યાં સાહિત્ય ઉપરથી ફિલ્મ બનાવવાનું થોડું ઓછું બને છે, પણ વિદેશમાં તો ત્રણ ફિલ્મ પૈકી એક સાહિત્યકૃતિ આધારિત હોય છે. તો કેટલાંક કિસ્સામાં એવું પણ બન્યું છે કે સાહિત્યકૃતિ ઉપરથી ફિલ્મ બનાવ્યાં પછી ફિલ્મની પટકથાને આધારે અન્ય સાહિત્ય સ્વરૂપવાળું સાહિત્ય સર્જાયું હોય. જયંત ખત્રીની ટૂંકીવાર્તા ‘ધાડ’ ઉપરથી ફિલ્મ ધાડ બનાવ્યાં પછી ફિલ્મની પટકથાના મુસદ્દા ઉપરથી વીનેશ અંતાણીએ ‘ધાડ’ નવલકથા લખી. ટૂંકીવાર્તા ‘કંકુ’ના કિસ્સામાં પણ એવું જ બન્યું. વાર્તાકાર પન્નાલાલ પટેલે ફિલ્મ ‘કંકુ’ બન્યાં પછી પોત જ ‘કંકુ’ નવલકથા પણ લખી.
થોડા વરસો પહેલાં ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવો આયામ ઉમેરાયો. મનીષ મુંદડા, નાગેશ કુકુનૂર અને ઇલાહે ફિપતુલ નિર્મિત ફિલ્મ ધનક રીલીઝ થાય તે પહેલાં જ આ ફિલ્મનું નવલકથામાં રૂપાયન કરાયું. ૧૭મી જુન ૨૦૧૬ના દિને રજૂ થયેલ આ ફિલ્મના આધારે લખાયેલ નવલકથા ૧૦મી જુન ૨૦૧૬ના દિને પ્રકાશિત કરવામાં આવી. ફિલ્મનું નિર્દેશન નાગેશ કુકુનૂરે કર્યું, પણ ફિલ્મના આધારે નવલકથા અનુષ્કા રવિશંકરે લખી હતી. ફિલ્મના નવલકથામાં રૂપાયન અંગે લેખિકા અનુષ્કા રવિશંકરે જણાવ્યું હતું કે,
 “એક ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતી ચૂકેલ ફિલ્મનું નવલકથામાં રૂપાયન મને મુશ્કેલ લાગ્યું હતું. એક મૂવી વિવિધ રંગછટા, ટેકનીક અને અનેક આયોમાંથી બને છે. તેમાં વાર્તા લેખક, પટકથા લેખકો, સંવાદ લેખકો, દિગ્દર્શકો અને મદદનીશો જોડાય છે. ફિલ્મની દરેક ક્ષણ તેના અસ્તિત્વ સાથે આવે છે. તે ક્ષણ પૃષ્ઠ પર ઉતારવા તેને યોગ્ય રીતે સમજાવવાનું ભારણ લાગે છે”
ફિલ્મનું સંગીત તાપસ રેલિયાએ આપ્યું છે. ફિલ્મમાં કળાકાર તરીકે હેતલ ગડા અને કૃષ છાબડિયાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત રાજીવ લક્ષ્મણ, વિ‌પિન શર્મા, ફ્લોરા સૈની, વિભા છિબ્બર સહિત અન્ય કળાકારો પણ છે. ફિલ્મની વાર્તા રાજસ્થાનના નાનકડા ગામનાં બે અનાથ બાળકોની છે. આઠ વર્ષનો છોટુ (કૃષ છાબડિયા) જે તોતડો છે અને જોઇ શકતો નથી, પણ શાહરુખ ખાનનો બહુ મોટો ફેન છે. ૧૨ વર્ષની પરી (હેતલ ગઢા) છે, છોટુની બહેન છે અને ભાઈ જોતો થાય તેવો મનમાં નિશ્ચય કર્યો છે. સુપરસ્ટાર શાહરુખ ખાનના આઇ ડોનેશન બ્રાઇટ પોસ્ટરને જોઇને તેના મગજમાં એક વિચાર આવે છે. તે પોતાના ભાઇની આંખો પાછી અપાવવા શાહરુખ ખાનને કહે તો..? પરી પોતાના ભાઇ છોટુને વચન આપે છે કે તે નવમા જન્મદિવસ પહેલાં જોતો થઇ જશે. પરીને એક દિવસ અખબારના માધ્યમથી ખબર પડે છે કે શાહરુખ ફિલ્મના શૂટિંગ માટે રાજસ્થાન આવ્યો છે. આ બંને બાળકો પોતાના ગામથી શાહરૂખ જ્યાં શૂટિગ કરી રહ્યો છે ત્યાં જવા નીકળે. પગપાળા, વાહનમાં કે અન્ય સાધનોમાં પ્રવાસ કરતાં આગળ વધે. અનેક મુશ્કેલી પણ આવે ને સારા-નરસા અનુભવો પણ થાય. નાનકડાં વિષયવસ્તુ આધારિત આ ફિલ્મ આગળ વધે છે. અંતે શું થાય...
માધ્યમનો ફેરફાર પડકારરૂપ બને છે. ફિલ્મમાં છોટુ આગેવાની કરે છે, પણ નવલકથામાં..? લેખિકા અનુષ્કા રવિશંકર કહે છે: “મેં નક્કી કર્યું કે પુસ્તકની આગેવાન છોટુની જગ્યાએ પરી હશે. આમ કરવાથી મારી ફિલ્મની વાર્તા બદલાતી નથી. પણ ફિલ્મમાં છોટુણા અંધત્વમાં દુવિધા જોવા મળે છે ફિલ્મના માધ્યમને કારણે દર્શકને એ જોવું ગમશે, પણ પુસ્તકમાં...? છોટુના દ્રષ્ટિકોણને સાંભળવો જોઈએ. ફિલ્મ જોતાં લાગ્યું હતું છોટુ ભલે ફિલ્મનો હીરો હતો, પણ આગેવાન તો પરી જ હતી. આ અભિવ્યક્તિને આંતરિક એકપાત્રી નાટક અથવા વર્ણનમાં બદલવાની જરૂર હતી. અક્ષરો અને પ્લોટ પોઇન્ટને સ્પષ્ટ કરવા માટે નાગેશ સાથે થોડીક વાતો કરી હતી. અને એટલે જ નવલકથા ક્યાંક  ફિલ્મ કરતાં વધુ સમજાવી જાય છે. કારણ કે મધ્યમ તેની માંગ કરે છે.”
ડકબિલ બુક્સ બાળકોની ફિલ્મોને પુસ્તકોમાં ફેરવવા થોડો સમયથી વાત કરી રહ્યાં હતાં. એક મિત્રએ નાગેશ કુકુનૂરની નવી ફિલ્મ વિશે જણાવ્યું. ને પ્રક્રિયા શરુ થઈ. હકીકતમાં ભારતીય બાળકોના પુસ્તકોમાં ફિલ્મની નવલકથાનો આ પહેલો પ્રસંગ હતો. અમે નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ પહેલી વખત થયું છે. અનુભવ અસામાન્ય અને કેટલીક રીતે, મુશ્કેલ હતો. જ્યારે તમે તમારી પોતાની વાર્તા લખો છો, ત્યારે તમે જે દિશામાં લઈ શકો છો તેમાં તમે છોડી શકો છો. અહીં, માત્ર સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું હતું તે જ લખવાનું હતું. મને લાગ્યું કે શક્ય તેટલું નાગેશના દ્રષ્ટિની નજીક રહેવાની જરૂર છે, કારણ કે આનો અર્થ એ હતો કે તે ફિલ્મ નવલકથા છે. ફિલ્મ અને પુસ્તકમાં શું તફાવત છે?
બહુ તફાવત નથી. આ તફાવતો મોટેભાગે માધ્યમ દ્વારા નક્કી કરવામાં આવે છે. મેં ફિલ્મ કરતાં વધુ સમજાવી છે, કારણ કે મધ્યમ તેની માંગ કરે છે. ઉદાહરણ તરીકે, કાકીને તેના પી.ઓ.વી સમજાવે છે, કારણ કે ફિલ્મમાં તમે માત્ર તેની દુશ્મનાવટ જુઓ છો, પરંતુ તેનું કારણ નથી. દ્રશ્ય ત્યાં નથી, શબ્દો તેમના સ્થાને લઇ જ જોઈએ. તેથી અભિવ્યક્તિ આંતરિક એકપાત્રી નાટક બની જાય છે, અદભૂત લેન્ડસ્કેપ, જે ફિલ્મમાં ભૌતિક હાજરી છે, તેને શબ્દોમાં વર્ણવવાની જરૂર છે. અન્ય કેટલાક નાના ફેરફારો છે, પરંતુ એક ફિલ્મના નવલકથા તરીકે, મને લાગ્યું કે શક્ય તેટલી ફિલ્મ માટે તે વફાદાર હોવું જરૂરી છે. અને હજુ સુધી, હું આશા રાખું છું કે આ પુસ્તક વાંચવાનો અનુભવ ફિલ્મ જોઈને અલગ હશે.
દિગ્દર્શક  નાગેશ કુકુનુર કહે છે: “એક મિત્રે અંધ છોકરોનો વિચાર કર્યો હતો જે ગામમાં તેની બહેન સાથે રહે છે. વર્ષો પછી મેં રાજસ્થાનના એક ગામના બે બાળકોને જોયા. મેં મારા મિત્રને ફોન કર્યો અને પૂછ્યું કે શું હું ફિલ્મ માટેનો વિચાર વિકસાવ્યો..? મેં ધનક લખ્યું નથી પણ મારી પાસે લાંબી વાત છે. એક ફિલ્મ પર આધારિત પુસ્તકને લોકો કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રસપ્રદ રહેશે. પશ્ચિમમાં, જેમ્સ બોન્ડ જેવા ઉદાહરણો છે કે જ્યાં તેની તપાસ કરવામાં આવી છે.”
નોંધ: આ લેખના સંપૂર્ણ અધિકારો ડૉ.તરુણબેન્કરના છે. વિના પરવાનગી તેનો કોઇપણ રીતે કે સ્વરૂપે ઉપયોગ ગેરકાયદેસર છે.
ડૉ.તરુણ બેન્કર. (મો.) ૯૨૨૮૨૦૮૬૧૯ / ૮૮૬૬૧૭૫૯૦૦ (વોટ્સએપ)
tarunkbanker@gmail.com

Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Previous Post Next Post